ફોજદારી ચલાવવાની પરવાનગી - કલમ : 339

ફોજદારી ચલાવવાની પરવાનગી

(૧) કોઇ કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરતા મેજિસ્ટ્રેટ ઇન્સ્પેકટરના દરજજાના નીચલા દરજજાના પોલીસ અધીકારી સિવાયની કોઇ વ્યકિતને ફોજદારી કામ ચલાવવા માટે પરવાનગી આપી શકશે પરંતુ એડવોકેટ જનરલ કે સરકારી એડવોકેટ અથવા પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર સિવાયની કોઇ વ્યકિત એવી પરવાનગી વિના એમ કરવા માટે હકદાર થશે નહી.

પરંતુ જેના ગુના અંગે આરોપી સામે ફોજદારી કામ ચાલી રહેલ હોય તેની પોલીસ તપાસમાં કોઇ પોલીસ અધીકારીએ ભાગ લીધો હોય તો તેને ફોજદારી કામ ચલાવવાની પરવાનગી આપી શકાશે નહી.

(૨) ફોજદારી કામ ચલાવનાર કોઇપણ વ્યકિત જાતે કે વકીલ મારફત તે કામ ચલાવી શકશે.